ગિરગઢડા
ભરત ગંગદેવ.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મણીબેન કોટક હાઇસ્કુલ, વેરાવળ ખાતે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યકક્ષાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો કાર્યક્રમ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો. આ કાર્યક્રમમા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, ડીસીએફ શ્રી ભારાઇ, એસીએફ શ્રી રસીલાબેન વાઢેર સહિત આચાર્યશ્રીઓ અને વિદ્યાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


