શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે કારતક માસના શનિવાર તા. 19-11-2022ના રોજ દાદાને જામફળનો દિવ્ય શણગાર ધરાવાયો. તથા સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા , સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ. દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ સિંહાસનને જામફળથી શણગારવામાં આવેલ. દાદાને જામફળનો અન્નકૂટ બપોરે 11:15 કલાકે ધરાવાયો તેમજ દાદાના હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.
તસવીરઃવિપુલ લુહાર


