સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————સાવરકુંડલા શહેરના ટાઉન પોલીસ સ્ટેશન માં છેલ્લા એક વર્ષ થી ખંત અને ખુમારી પૂર્વક ફરજ બજાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તેવું સાબિત કારીઆપનાર પી.આઈ. ગોસ્વામી સાહેબની એક વર્ષની ફરજ દરમિયાન પી.આઈ ગોસ્વામીએ અનેક લોકોના દિલ જીતી લીધા હતા સાથે ગોસ્વામીની એક વર્ષની ફરજ દરમ્યાન શહેરમાં એક પણ અનિછનીય બનાવ બનવા પામેલ નથી અને શહેરમાં હમેશા ભાઈચારો જળવાય રહે તેવા પ્રયત્નો પી.આઈ દ્વાર કરવામાં આવ્યા સાથે નરમ સાથે નરમાશથી અને અકડું લોકો સાથે કડકાઈ પૂર્વક કામ લેનાર અધિકારીની છાપ ધરાવતા ગોસ્વામી સાહેબ કામગીરીની શહેરમાં લોકો હમેશા વાહ વાહી કરતા જોવા મળે છે સાવરકુંડલામાંથી આવા સુમેળ સ્વભાવના અધિકારીની સોમનાથ ખાતે બદલી થતાં અનેક લોકોના ચહેરા પર નારાજગી જોવા મળી હતી પરંતુ શું થાય બદલી પણ એક ફરજનો ભાગ છે તેને સ્વીકારી સાવરકુંડલા મુસ્લિમ સમાજના આગેવાન ઇરફાનભાઈ કુરેશી(પૂર્વ પ્રમુખ સુન્ની મુસ્લિમ સમાજ)ઓસાભાઈ પઠાણ,અલીભાઈ જાખર,ઇસુબભાઈ કુરેશી,રફીકભાઈ કુરેશી,રાજેભાઈ ચૌહાણ(ટકાભાઈ)ઉસમાનભાઈ મિલાન,નાસિરભાઈ ચૌહાણ,તૌફિક કુરેશી,સોહિલ શેખ,જુબેર ચૌહાણ,અસલમ જાખર સહિતના આગેવાનો દ્વારા પી.આઈ ગોસ્વામી સાહેબને ફુલહાર પહેરાવી વિદાયમાન અપાયું હતું


