Gujarat

સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સિજનના નવા તલની આવકના શ્રીગણેશ…તલનું સ્થાન ભારતીય આર્યુવેદમાં પણ ખૂબ મહત્ત્વનું છે. હોમ હવનમાં પણ તલનો વપરાશ જરૂરી માનવામાં આવે છે. 

સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
આજ રોજ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં  આંબરડી ગામના ખેડૂત ચંદુભાઇ માલાણી તથા જયસુખભાઇ માલાણી કમીશન એજન્ટ શ્રી ધડુક ટ્રેડર્સમાં અંદાજે ૧૪૦૦ કિલો  સિજનના નવા તલ હરરાજીમાં વેચવા માટે લાવેલ, જેની વિધિવત પુજન કરી હરરાજી કરવામા આવી અને ₹૨૦૨૨ના ઉચા ભાવ બોલાયા… આમ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજથી નવા તલની આવકનાં શ્રી ગણેશ થયા….આમ પણ ભારતીય પરંપરા અને આયુર્વેદમાં પણ તલ એ ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હોમ હવનમાં પણ તલનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે.

IMG-20220425-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *