Gujarat

સાવરકુંડલા શહેરનાં હાર્દ સમા વિસ્તાર શહેરની મધ્યમાં આવેલ પંડિત દિનદયાળ ઉપવન (જનતા બાગ) ના પાછળનાં વિસ્તારમાં જાહેર માર્ગ પર સ્ટ્રીટ લાઈટ ચાલુ થતાં શહેરની રોનકમાં ઓર વધારો થયો.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)

સાવરકુંડલા શહેરની મધ્યમાં સાવરકુંડલા શહેરના હાર્દસમા વિસ્તાર અને સાવરકુંડલા શહેરીજનો માટે નદી કાંઠે હરીફરી શકાય તેવો જનતા બાગનો પાછળનાં ભાગમાં છેલ્લા આઝાદીકાળથી એ જાહેર રસ્તા પર લાઈટ વગર સંપૂર્ણ અંધકાર જેવી સ્થિતિ પ્રવર્તતી પરંતુ સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય સોહિલ શેખ અને આસીફ કુરેશીનાં અવિરત પ્રયાસ થકી સાવરકુંડલાના આ વિભાગનાં સ્ટ્રીટ લાઈટની કામગીરી સંભળાતાં ભરતભાઈ અટારા અને સુરેશભાઈની કાર્યનિષ્ઠા તેમજ નગરપાલિકા પ્રમુખ પતિ રાજુભાઈ દોશીનાં સંપૂર્ણ સહયોગને કારણે આ વિસ્તારમાં જાહેર માર્ગ પર સ્ટ્રીટ લાઈટ ચાલુ થતાં આ વિસ્તારમાં પસાર થતાં તમામ રાહદારીઓને રાહત થઈ છે.. આમ સાવરકુંડલા નગરપાલિકાનાં સદસ્યોની સોહિલ શેખ અને આસીફ કુરેશીની અથાગ મહેનત અને આ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરાવવાની રજૂઆત અંતે રંગ લાવી ખરી.. શહેરમા પણ આ કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે. હવે સાવરકુંડલા શહેરનાં લોકો આ વિસ્તારમાં રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટનાં અજવાળે ખૂબ સરળતાથી આવજાવ કરી શકશે.. આમ આ વિસ્તારમાં જાહેર માર્ગ પર અજવાળાં પથરાતાં શહેરની રોનકમાં ઓર વધારો થયો છે..

IMG-20220222-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *