સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી બ્રાંચ શાળા નંબર ૨ કન્યાશાળામાં શ્રી સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા શ્રી પ્રકાશબાપુ રામકથાકાર પૂજ્ય શ્રી તેમજ, ટ્રસ્ટી ઉષાબેન, આચાર્ય શ્રી ભારતીબેન, શીક્ષકશ્રીઓના આયોજન કરી શાળાની ૩૮૩ બળાઓમા હાજર રહેલ તમામ બાળાઓ ને બુક, પેન, પેન્સિલ, કલર, રબર જેવી શિક્ષણ માટે ઉપયોગી સ્ટેશનરી આપવામા આવી હતી, બાળમેળામાં બાપૂએ શાળાની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે શુભ સંકલ્પ કર્યો હતો કે દરેક બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવે અને આજે તેમણે તેમનાં ટ્રસ્ટના સભ્ય શ્રી સાથે મળીને દરેક બાળકોને ઈનામ આપીને શાળાને કૃતજ્ઞ કરી છે તેમ આચાર્યશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો

