અમદાવાદ
અમદાવાદમાં વેપારીઓને દુકાનો સુધી આવવાનો રસ્તો જ બંધ કરી દેતા લોકો અને વેપારીઓ પરેશાન થયા છે વેપારીઓનો ધંધો કેવી રીતે થાય અને કોઈ ખરીદારને દુકાન સુધી જવું હોય તો કેવી રીતે જાય જેથી ખરીદદાર અન્ય જગ્યો ખરીદી કરવા જતા રહે છે . અમદાવાદમાં નારોલ- નરોડા નેશનલ હાઇવે પર સીટીએમ બ્રિજ નીચે ચાર રસ્તા પર હાઇવે સમાંતર બેરીકેડ લગાવી રોડ ક્રોસ કરવાનું બંધ કરી દેતાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ખાસ કરીને આસપાસના વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. રસ્તો બંધ કરાયો તેના વિરોધમાં આજે સીટીએમ વેપારી એસોસીએશન, શાકમાર્કેટ એસોસિએશન તથા લારી-ગલ્લા એસોસિયેશનના આશરે ૬૦૦ જેટલા વેપારીઓએ સુધી સંપૂર્ણ બંધ પાળ્યો હતો. તમામ દુકાનો અને લારી ગલ્લા વાળાઓએ દુકાન બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો. ટ્રાફિક પોલીસ કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બેરીકેટ લગાવી રસ્તો બંધ કરાયો છે તેની માહિતી આપવામાં આવી નથી. આગામી દિવસોમાં જાે આ રસ્તો ખુલ્લો નહીં થાય તો વેપારીઓએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદના સીટીએમ ચાર રસ્તા પર છેલ્લા કેટલાય દિવસથી બેરીકેડ મારી દેવામાં આવ્યા છે. સીટીએમ બ્રીજ નીચે આવેલો રસ્તો બેરીકેટ લગાવીને બંધ કરી દેવામાં આવતા આસપાસના વેપારીઓને ત્યાં આવતા ગ્રાહકો અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બેરીકેટથી રસ્તો બંધ કરી દેવાતા રોડની બન્ને તરફ બે કિલોમીટર ફરીને જવું પડે છે. ટ્રાફિકની સમસ્યા થતી હોવાના નામે આ બેરીકેડ લગાવવામાં આવ્યા છે. આ બેરિકેટ ટ્રાફિક પોલીસે લગાવ્યા છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવ્યા છે તેની કોઈ જ માહિતી નથી. ટ્રાફિક પોલીસને રજૂઆત કરી તો તેઓ કહે છે. અમે નથી લગાવ્યા અને મ્યુનિસિપલ કોર્પોરેશન ને જાણ કરી તો તેઓ કહે છે અમે નથી લગાવ્યા. જેથી આ કોણે લગાવ્યા તેના ઉપર સવાલ છે ટ્રાફિક થતો હોવાને લઈને આ બેરીકેટ લગાવાયા છે પરંતુ હકીકતમાં એ છે કે સૌથી વધારે ટ્રાફિક બંધ કરવાના કારણે આગળના ચાર રસ્તા પર થાય છે. આ બેરીકેડ લગાવવાને કારણે રસ્તો બંધ થઇ જતાં આસપાસના વેપારીઓ અને તેમને ત્યાં આવતા ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. બ્રિજ ઉપરથી અથવા તો બે કિલોમીટર ફરીને આવું પડે છે. આ વિસ્તારમાં આજુબાજુમાં નવ જેટલી સ્કૂલો આવેલી છે તે વિદ્યાર્થીઓને પણ બે કિલોમીટર ફરીને આવવાની ફરજ પડે છે. વેપારીઓ અને સ્થાનિક નાગરીકોની માંગ છે કે આ રસ્તાને જલ્દીથી ખુલ્લો કરીને બેરીકેડ હટાવી લેવામાં આવે. જાે ટ્રાફિકની સમસ્યા થતી હોય તો ટ્રાફિક પોલીસ દ્વારા અહીંયા પાંચ ટીઆરબી જવાન અથવા પોલીસ કર્મચારી મૂકી અને ટ્રાફિકનું નિયમન કરાવે તો પણ ટ્રાફિક હળવો થઇ શકે છે. જાે આગામી દિવસોમાં આ બેરીકેટ હટાવવામાં નહીં આવે તો વેપારીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને વેપાર-ધંધા બંધ રાખી વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે.
