સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના ઘાસપુર ગામમાં જાેખમી કચરો સંગ્રહ કરવાની સુવિધામાં, બે કામદારોમાંથી એક સ્ટોરેજ ટાંકીમાં પડી જતાં અને અન્ય એક તેને બચાવવા માટે કૂદી પડ્યો હતો. આ ઘટના ૪ જૂનના રોજ સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ઘાસપુર ગામમાં સામાન્ય જાેખમી કચરાના ટ્રીટમેન્ટ, સ્ટોરેજ અને ડિસ્પોઝલ (ટી.એસ.ડી.એફ) ફેસિલિટીમાં બની હતી. ટી.એસ.ડી.એફ, જે ૭.૨૦ લાખ મેટ્રિક ટન જાેખમી ઔદ્યોગિક કચરાનો સંગ્રહ કરે છે, ટ્રીટ કરે છે અને તેનો નિકાલ કરે છે, તે અમદાવાદ સ્થિત ખાનગી પેઢી, ઈર્ષ્ઠષ્ઠટ્ઠિી ૈંહકટ્ઠિજંિેષ્ઠંેિીજ ઁદૃં ન્ૈદ્બૈંીઙ્ઘ (ઈૈંઁન્) (ઈ.આઈ.પી.એલ) દ્વારા ચલાવવામાં આવે છે. પોલીસે જણાવ્યું હતું કે, પીડિતોની ઓળખ હરેશ ડામોર (૩૮) અને તેના ભત્રીજા સંજય ડામોર (૨૦) તરીકે થઈ છે, જે બંને દાહોદ જિલ્લાના રણધિકપુર તાલુકાના સંચકપુર ગામના વતની છે. તેઓ ટી.એસ.ડી.એફ વર્કર ક્વાર્ટર્સમાં રહેતા હતા. શૈલેષ ડામોરે પોલીસને જણાવ્યું હતું કે, ટાંકી પર કામ કરતી વખતે હરેશ ખાડા નંબર ૨ ની બાજુમાં આવેલી કેમિકલ ટાંકીમાં પડ્યો હતો. હરેશને બચાવવા તેનો ભત્રીજાે અંદર કૂદી પડ્યો. જાેકે, ઝેરી ગેસ શ્વાસમાં લેતા બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. શૈલેષે આપેલી માહિતીના આધારે પાટડી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઈ.આઈ.પી.એલ નો સંપર્ક થઈ શક્યો ન હતો. તેમની ૭.૨૦ લાખ ટી.એસ.ડી.એફ સુવિધાની ક્ષમતાનો ઝડપથી ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાથી, ઈ.આઈ.પી.એલ એ ૨૦૨૦ માં વિશાળ ક્ષમતા વિસ્તરણ માટે અરજી કરી હતી. કંપનીએ ટી.એસ.ડી.એફ ની ક્ષમતામાં ૫૦ લાખ મેટ્રિક ટનનો વધારો કરવાની દરખાસ્ત કરી હતી.
