ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગીય નિયામક શ્રી શ્રીમાળી સાહેબ પરિવહન અધિકારી પી પી ધામા સાહેબ ગુજરાત ઍસ.ટી ની સલામત સવારી ઍસ.ટી અમારી ને પ્રોત્સાહન આપી વેરાવળ ડેપો દ્વારા સંચાલિત વર્ષો જુની ઍસ.ટી બસ સેવા સોમનાથ ગાંધી નગર કે જે સોમનાથ થિ રાત્રે ૯.૩૦ કલાકે અને વેરાવળ થિ રાત્રે દસ વાગ્યે ઉપડતી એસ.ટી બસ કે જે અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં જવા માટે પણ ખૂબજ સરસ સુવિધા આશીર્વાદ સમાન છે જે આજની મોંઘવારી ના સમયમાં માત્ર ૨૨૮ રુપિયા ના ભાડાં થી અવર જવર માટે એસટી બસ સેવા મળેલ જે ધન્યવાદ ને પાત્ર છે જેમા નવા વાહન ની ફાળવી મુસાફરો ને મળેલ આ નવી બસ સેવા ના અવસરે વેરાવળ ડેપો પર સામાજિક સંસ્થા ના અગ્રણી શ્રી પાયલ બેન આનદ ભાઈ પારેખ દ્વારા કંકુ ને ચોખા થી બસ ને તિલક કર્યું લોક જાગૃતિ મંચ ના દીપક ભાઈ ટીલાવંત શદેશ ના પત્રકાર કિશોર ભાઈ કકકડ દ્વારા બસ સેવા ના ડ્રાઈવર જીતેન્દ્ર સિંહ તેમજ કંડકટર અને મુસાફરો ના મો મિઠા કરી આ નવી બસ સેવા ને પ્રોત્સાહન સાથે સમર્થન આપ્યું છે આ પ્રસંગે સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર સેવા સમેતિ ના સોની યોગેશ પ્ર્ભુદાસ સતીકુંવર પાયલ બેન પારેખ અને મુંબઈ વસઈ ના અભિનેત્રી રાજેશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી દ્વારા શુભેચ્છા આપી હતી


