અંકલેશ્વર આદિવાસી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા 12 જાતિઓને અનુસુચિત જન જાતિમાં સમાવેશ કરતા વિરોધ નોંધાવ્યો હતો. આદિવાસી સમાજ દ્વારા અનુસુચિત જન જાતિના ખોટા જાતિ પ્રમાણપત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલાં ભરવાની માંગ કરી હતી.
અંકલેશ્વર ખાતે આદિવાસી સમાજના યુવાનોએ તાલુકા સેવાએ સદન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અન્ય જાતિને આદિવાસી સમાજના ખોટા પ્રમાણપત્ર આપવા આવે છે. જેવા વિવિધ પડતર પ્રશ્નો બાબતે અંકલેશ્વરના આદિવાસી સમાજના યુવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ખોટા પ્રમાણપત્ર લેનાર અને આપનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આદિવાસી સમાજના યુવાનોએ માંગણી કરી હતી.
મહત્વની બાબત છે કે, ખોટા પ્રમાણપત્રો અન્ય જાતિના લોકોને આપવામાં આવતી હોવાની બૂમો છેલ્લા ઘણા સમયથી આદિવાસી સમાજમાંથી સામે આવી રહી છે. ભૂતકાળમાં પણ આ પ્રકારની બાબતો અંગે ખુદ ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા તેમજ ઝઘડિયાના ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી નેતા છોટુ વસાવા પણ આ મામલે અવાજ ઉઠાવ્યો હતો. જે બાદ હવે વિધાનસભા ચૂંટણી પહેલા આદિવાસી સમાજમાં ખોટા પ્રમાણપત્રોનો મુદ્દો વધુ એકવાર ગુંજ્યો છે.


