Gujarat

અંબાજી મંદિરને એનઆરઆઈ ભક્તે સોનાનું બિસ્કીટ અર્પણ કર્યું

અંબાજી
યાત્રાધામ અંબાજીમાં એક એનઆરઆઇ માઇભકતે ૧૦૦ ગ્રામ સોનું ભેટ આપ્યું હતું. અંબાજી મંદિરને સુવર્ણથી મઢવા માટે હાકલ કરવામાં આવી છે, જે અંતર્ગત આ સોનું અપાયું હતુ. જાેકે માઇભક્તે પોતાનું નામ જાહેર કર્યુ નહોતું. યાત્રાધામ અંબાજી મંદિરને સંપૂર્ણ સુવર્ણમય બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને સરકાર દ્વારા તાજેતરમાં મંજૂરી અપાઇ હતી. એ અંતર્ગત એક એનઆરઆઇ માઇભક્તે રૂપિયા ૪,૯૦,૦૦૦નું ૧૦૦ ગ્રામ સોનું ભેટ ધર્યું હતું. મંદિર ઇન્સ્પેકટર સતીષભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે એનઆરઆઇ પરિવાર દ્વારા માતાજીની પૂજા-અર્ચના કર્યા પછી સોનું ભેટ અપાયું હતુ. દરમિયાન મંદિર દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જ્યાં માઇભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Offered-100-grams-of-gold-worth-Rs-4.90-lakh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *