તા.31 ઓકટોબરના રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવામાં આવનાર છે. જેના ભાગરૂપે આજે રોજ કલેકટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટર શ્રી બી.એન.ખેર, અન્ય અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા માટે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અને યોગદાન આપવા માટે સત્યનિષ્ઠા સાથે શપથ લીધા હતા.


