Gujarat

અમદાવાદની શાળામાં ૨૧ વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ

અમદાવાદ
કોરોનાના કેસ ઘટતા તબક્કાવાર ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાલમંદિર પણ સરકારની કોઈ જાહેરાત વિના ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં રોજ ૩ કલાક સુધી વિદ્યાર્થીઓ સાથે રહે છે અને હજુ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સંસ્થાઓના સ્ટાફના અનેક લોકો વેક્સિનના બંને ડોઝથી વંચિત છે. અત્યારે તમામ સ્કૂલોમાં ૯૦ ટકા જેટલી હાજરી પણ છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા સ્કૂલોમાં કેસ વધ્યા છે. પરંતુ હજુ વધુ સંક્રમણ ના ફેલાય તે માટે આગામી એક અઠવાડિયા દરમિયાન સ્કૂલોમાં કેસનું મોનિટરીંગ કરવામાં આવવું જાેઈએ. જે બાદ કેસ વધે તો ૧થી ૫ના વર્ગ ઓફલાઇન બંધ કરવામાં આવે, જે બાદ કેસ વધે તો ૬થી ૮ અને ૯થી ૧૨ એમ તબક્કાવાર સ્કૂલો ફરીથી ઓફલાઇન બંધ કરવી જાેઈએ.દેશમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે, જેના કારણે સ્કૂલમાં ભણતા બાળકો પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. અમદાવાદની સ્કૂલોમાં ૨૧ જેટલા કોરોનાના કેસ નોંધાયા છે, જેથી આગામી એક અઠવાડિયું કોરોનાના કેસનું મોનિટરીંગ કરીને ઓફલાઇન સ્કૂલો બંધ કરવા શાળા સંચાલકોએ માંગણી કરી છે.

Coronas-cases-quadrupled-in-4-days.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *