Gujarat

અમરેલી જિલ્લામાં શ્રીકાર વર્ષાના પગલે જળાશયોમાં નવા નીરનીઆવક  

સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં શ્રીકાર વરસાદ થઈ રહ્યો છે. જિલ્લામાં થયેલા સારા વરસાદના પગલે વિવિધ જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. અમરેલી જિલ્લાના જળાશયોમાં તા.૧૨/૦૭/૨૦૨૨ના સવારે ૬.૦૦ વાગ્યાની સ્થિતિ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ખોડીયાર જળાશયમાં ૦.૧૩ મિલિયન ક્યૂબીક મીટર, ઠેબી જળાશયમાં ૦૦ મિલિયન ક્યૂબીક મીટર, ધાતરવડી ૦૧માં ૦.૬૫ મિલિયન ક્યૂબીક મીટર, રાયડી જળાશયમાં ૦૦ મિલિયન ક્યૂબીક મીટર, વડીયા જળાશયમાં ૦.૧૦ મિલિયન ક્યૂબીક મીટર, ધાતરવડી ૨માં ૦.૧૫ મિલિયન ક્યૂબીક મીટર, અને વડી, શેલ-દેદુમલ, મુંજીયાસર, સુરજવડીમાં ૦૦ મિલિયન ક્યૂબીક મીટર પાણીની આવક થઈ છે. જિલ્લામાં આ સ્થિતિ મુજબ સૌથી વધુ પાણી ખોડીયાર જળાશયમાં ૬૪.૯૦ ટકા અને સુરજવડીમાં ૫૨.૨૫ ટકા નીરનો સંગ્રહ છે, તેમ અમરેલી જિલ્લા જળસિંચન વિભાગની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *