Gujarat

આ અવસર રથ આગામી પ દિવસ સુધી જિલ્લાના તમામ વિધાનસભા મત વિસ્તારોમાં મતદાર જાગૃતિ અંગેનો સંદેશ આપી મતદારોને મતદાન કરવા પ્રોત્સાહિત કરશે

મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજય દ્વારા આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે અવસર લોકશાહીનોકેમ્પેઈન જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે મતદાન જાગૃતિના ઉમદા આશયથી જિલ્લા ચૂંટણી તંત્ર જામનગર દ્વારા મિશન-૨૦૨૨ હેઠળ જિલ્લાના તમામ વિધાનસભા મત વિસ્તારોમાં ઓછું મતદાન ધરાવતા મતદાન મથક વિસ્તારોમાં અવસરરથ ફેરવી મતદાર જાગૃતિ અંગેનો પ્રેરક પ્રયાસ હાથ ધરેલ છે.

જે અવસર રથને આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી, જામનગર દ્વારા કલેક્ટર કચેરીના પરિસરમાં લીલી જંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું.આ પ્રસંગે નોડલ અધિકારીશ્રી, અવસર અને નિવાસી અધિક કલેકટરશ્રી બી.એન.ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કલ્પના ગઢવી, શહેર પ્રાંત અધિકારી શ્રી ડી.ડી.શાહ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એન.એચ.મકવાણા, ચૂંટણી મામલતદાર શ્રી એસ.એચ.હાંસલિયા, શહેર મામલતદાર શ્રી વિ.આર.માંકડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે આ અવસર રથ આગામી પ દિવસો સુધી જિલ્લાના તમામ વિધાનસભા મત વિસ્તારોમાં મતદાર જાગૃતિ અંગેનો સંદેશ આપશે તેમજ મતદારોને મતદાન કરવા પ્રોત્સાહિત કરશે.

-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *