Gujarat

આગામી તા. ૨૬ જાન્યુઆરીના રોજ યોજાનાર ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ મોકૂફ રખાયો

મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદ માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણકાર્યક્રમનું આયોજન કરવા સૂચન કરવામાં આવે છે. જે અંતર્ગત જામનગર જિલ્લા ખાતે આગામી તા.૨૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ રોજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. પરંતુ ૨૬-૧-૨૦૨૩ ના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણી યોજાનાર હોવાથી જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે. જેની સર્વે અરજદારોએ નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટરશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *