ઉનાના ઓલવાણ ગામે ગત રાત્રીના સમયે ગામની નજીક આવેલી રામસીભાઈ નાજાભાઈ ડાંગરીયાની માલિકીની વાડીમાં દીપડો શિકારની શોધમાં આવેલો હોય પાણી વળતા વળતા વાડી માલિકની નજર દીપડા પર પડતા વાડી માલિકે તાત્કાલિક ગામના સરપંચ મોહનભાઇ દમણીયા જાણ કરતા તેમણે નવાબંદર રાઉન્ડના વનવિભાગને જાણ કરતા વનવિભાગના સ્ટાફએ તાત્કાલિક પાંજરૂ ગોઠવી દીધેલ હતું. અને દીપડો પાંજરે પૂરાતા આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


