અમદાવાદ
ચાંદખેડા વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર દ્વારકેશ વાણીયા અને તેમના પત્નિ જુલી ગઈકાલે મોડી રાતે એક્ટિવા લઈ અમદાવાદના એસ.જી હાઈવે પર સોલા ભાગવત વિદ્યાપિઠના બ્રિજ પરથી પસાર થતા હતા. તે સમયે પુરઝડપે આવી રહેલી કારે તેમને અડફેટે લીધા હતા. જેમાં તેમનું બ્રિજ પરથી નીચે પટકાતા મૃત્યુ થયા છે. મૃતક દંપતીના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા. અને તેની એનિવર્સરી ઉજવવા માટે બહાર ગયા હતા. તે સમયે પરત ઘરે ફરતા આ અકસ્માત થયો હતો. અકસ્માત સર્જાનાર કારની ટક્કર એટલી જાેરદાર હતી કે દંપતીને અડફેટે લીધા બાદ ૧૦૦ મીટરના અંતરે તેઓ બ્રિજ પરથી નીચે પટકાયા હતા. જાેકે અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી તરત ફરાર થઈ ગયો હોવાનું અને વેજલપુર વિસ્તારનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું. હાલ પોલીસે કારના નંબરના આધારે ગુનો નોંધીને આરોપીને પકડવાની કવાયત શરૂ કરી છે.અમદાવાદના એસજી હાઈવે-સોલા બ્રિજ પર કાર ચાલકે દંપતીને અડફેડે લેતા તેમનું મોત નિપજ્યુ હતું. બે મહિનાની મેરેજ એનિવર્સરી ઉજવી અને દંપતી પરત ફરતું હતું, ત્યારે કાર ચાલકે અડફેટે લીધા હતા. અકસ્માત એટલો જાેરદાર હતો કે, ટક્કરથી દંપતી ફંગોળાઈ બ્રિજ પરથી નીચે પડ્યા હતા. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકીને ફરાર થઇ ગયો હતો. એસ.જી હાઇવે ૧ પોલીસે હાલમાં આ મામલે ગુનો નોંધી ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે.