રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ઇદના તહેવારને લઈ શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ અને શાંતિપુર્વક રીતે ઇદનો તહેવાર ઉજવવા અપીલ કરાઈ.આ મિટિંગમાં ઉપસ્થિત સમાજના અગ્રણીઓએ શાંતિપુર્વક રીતે ઈદનો તહેવાર ઉજવવાની ખાત્રી આપી હતી.સાથે સાથે કઠલાલ પોલીસ સ્ટેશન માંથી વિદાય લઇ રહેલી પીએસઆઈ બી.એમ.માલી અને એમ.એમ.દેસાઈ નો વિદાય સમારંભ તથા કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે આવનાર પીએસઆઇ એસ.બી.દેસાઈનો આવકાર સમારંભ યોજાયો.કઠલાલ નગરના અગ્રણીઓ અને નગરજનો તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી પુષ્પગુચ્છ આપી પીએસઆઇને વિદાય અને આવકાર આપવામા આવ્યો હતો.


