મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલના સરખેજમાં જીવ દયા ભાવી ગ્રુપ અને સિધ્ધનાથ મહાદેવ મંડળ કાકરખાડ દ્વારા ઉતરાયણ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.યુવાનો દ્વારા 520 કિલો જેટલા લાડુ બનાવવામાં આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ફરતા શ્વાનને આ લાડુ ખવડાવવામાં આવ્યા હતા.આમ અનોખી રીતે ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.


