આણંદ
કરમસદ પાલિકામાં હિસાબનીશની જગ્યા કોમન કેડલની હોવા છતાં કોઇ પણ પ્રકારની ભરતી પ્રક્રિયા વગર સોનાલીબહેન એન. પટેલને હિસાબનીશની જગ્યા પર ફિક્સ પગાર રૂ.૨૦ હજારથી નિમણૂંક આપી દેવામાં આવી હતી. આ કેસમાં પ્રમુખ સહિત બોડીએ હોદ્દાનો દુરૂપયોગ કર્યો હોવાની ફરિયાદ પ્રાદેશિક કમિશ્નર સુધી પહોંચી હતી. જેના પગલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આ તપાસ રિપોર્ટ બાદ મ્યુનિસિપાલીટી કમિશ્નરે પ્રમુખ દર્શનાબહેન પટેલ, ઉપપ્રમુખ નિલેશ પટેલ સહિત સમગ્ર બોડીને ગુજરાત પાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ ૩૭ હેઠળ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને પાલિકાના સભ્યપદેથી દુર કેમ ન કરવા ? તે અંગે ખુલાસો પુછવામાં આવ્યો છે. આ અંગે ૭મી એપ્રિલ,૨૦૨૨ના રોજ બપોરે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.કરમસદ પાલિકામાં હિસાબનીશની જગ્યા કોમનકેડરની હોવા છતાં કોઇ પણ પ્રકારની ભરતી પ્રક્રિયા કર્યા વગર કર્મચારીની ભરતી કરી દેવામાં આવી હતી. ત્યારે આ મામલો મ્યુનિસિપાલીટી કમિશ્નર સુધી પહોંચતા પ્રમુખ સહિત બોડીને હોદ્દાનો દુરૂપયોગ બદલ નોટિસ ફટકારવામાં આવી છે.
