Gujarat

ખંભાળિયાના ખામનાથ મહાદેવના મંદિરે ભસ્મ આરતી શૃંગારના દર્શનનો ભક્તોએ લાભ લીધો

દ્વારકા
ખંભાળિયાના પાદરમાં આવેલા આશરે પાંચ સદી જુના પ્રાચીન અને પ્રખ્યાત એવા શ્રી ખામનાથ મહાદેવના મંદિર ખાતે દર વર્ષે ભસ્મ આરતી શૃંગારના દર્શન યોજવામાં આવે છે. આ વર્ષે પણ અમાસ નિમિત્તે રાત્રે ભોળાનાથના ભસ્મ આરતી શૃંગારના દર્શન યોજવામાં આવ્યા હતા. મહાકાલેશ્વર જયોર્તિલિંગની જેમ આશરે રાત્રિના યોજવામાં આવેલા આ સુંદર દર્શનમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ હોય, અમાસ નિમિત્તે યોજવામાં આવેલા ભસ્મ આરતી શૃંગારના દર્શનનો લાભ મોટી સંખ્યામાં શિવ ભક્તોએ લીધો હતો. આ દર્શન સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા.ભગવાન ભોળાનાથને પ્રિય ભસ્મ શૃંગાર આરતીના દર્શન કે જે મહાકાલેશ્વરના વિશ્વવિખ્યાત છે, તે પ્રકારના દર્શન ખંભાળિયાના પ્રસિદ્ધ શ્રી ખામનાથ મહાદેવના મંદિર ખાતે યોજવામાં આવ્યા હતા.

File-02-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *