સમગ્ર વિશ્વમાં નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારને વર્લ્ડ રિમેમ્બ્રન્સ દિવસ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે આજરોજ છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે છોટાઉદેપુર 108 ઈમરજન્સી સેવા ખિલખિલાટસેવા સિવિલ હોસ્પિટલ સ્ટાફ તથા આરટીઓ વિભાગના અધિકારી ની ઉપસ્થિતિમાં અકસ્માત માં મૃત્યુ પામેલ વ્યક્તિઓને એક મિનિટનો મૌન પાડી તથા મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી તથા આરટીઓ અધિકારી દ્વારા શપથ લેવડાવવામાં આવી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

