વેરાવળ
માથાસુરીયા ગામની સરકારી શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થિની પર છેડતીનો આરોપ લાગતાં ચકચાર મચી ઘઈ છે. ધોરણ સાતમાં અભ્યાસ કરતી બાળકી સાથે ઘટના બની હતી. વિદ્યાર્થિનીએ પરિવારમાં વાત કરતાં સમગ્ર ઘટના સામે આવી. ઘટનાના પગલે ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. શિક્ષણ જગતને લાંછન રૂપ ઘટનાથી ચકચાર મચી ગયો છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ આચાર્યને પોલીસને સોંપ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓને ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય પર આરોપ લાગ્યો છે. પ્રભાસ પાટણ પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે.


