પાકિસ્તાન
ઈમરાન ખાને દેશમાં મોંઘવારીથી બગડેલી સ્થિતિ માટે અગાઉની સરકારોને જવાબદાર ગણાવી હતી. તેમણે ગુરુવારે કહ્યું કે વર્તમાન સરકારની સૌથી મોટી નબળાઈ એ છે કે તે અગાઉની સરકારો પર જવાબદારી નક્કી કરી શકી નથી. પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું કે તેમની સરકારે લોકોની ભલાઈ માટે સારું કામ કર્યું છે, પરંતુ તે તેની સિદ્ધિઓનું યોગ્ય રીતે વર્ણન કરી શકી નથી.પાકિસ્તાનના વડાપ્રધાન એવા સમયે ચીનની મુલાકાતે જઈ રહ્યા છે જ્યારે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં દેશની વેપાર ખાધ ૨૪.૭૯ અબજ યુએસ ડોલર પર પહોંચી ગઈ છે. તેની પાછળનું મુખ્ય કારણ પણ વાર્ષિક ધોરણે આયાતમાં ૬૩ ટકાનો વધારો છે. નિકાસમાં થયેલા જંગી વધારાને કારણે વેપાર ખાધમાં ઉછાળો આવ્યો છે. પાકિસ્તાની અખબાર અનુસાર, જુલાઈ-ડિસેમ્બર સમયગાળાના ડેટા દર્શાવે છે કે આયાત એક વર્ષ અગાઉ ૨૪.૪૭ અરબ ડોલરથી થી વધીને ૩૯.૯૧ અરબ ડોલર થઈ ગઈ છે. તેનાથી વિપરીત, જુલાઈ-ડિસેમ્બર દરમિયાન નિકાસ પણ એક વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીમાં ૨૫ ટકા વધીને ૧૫.૧૩ અબજ અમેરિકી ડોલર થઈ હતી. પાકિસ્તાન હાલમાં નાણાકીય પડકારોનો સામનો કરી રહ્યું છે અને વિપક્ષ મિની બજેટ માટે સરકારની ટીકા કરી રહ્યો છે. પીએમએલ-એનના વડા શાહબાઝ શરીફ અને પીપીપીના વડા બિલાવલ ભુટ્ટોએ દેશમાં વધતી મોંઘવારી માટે શાસક સરકારની ટીકા કરી છે અને પડકારોનો સામનો કરવામાં તેમની સરકારની નિષ્ફળતા પર વડા પ્રધાન ઇમરાન ખાનના રાજીનામાની માંગ કરી છે.પાકિસ્તાનનામાં વિવિધ મુદ્દાથી ઘેરાયેલા વડાપ્રધાન ઈમરાન ખાન આવતા મહિને ચીનના પ્રવાસે જઈ રહ્યા છે. હાલમાં તેમની તહરીક-એ-પાકિસ્તાન સરકાર આર્થિક પડકારો સિવાય વધતી મોંઘવારી, મિની બજેટ અને વધતા દેવાના કારણે વિપક્ષના નિશાના પર છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઇમરાન ખાને પાકિસ્તાનમાં ચીનના રોકાણને અવરોધતી તમામ મુશ્કેલીઓનો અંત લાવવાનો આદેશ આપ્યો છે, કારણ કે તેઓ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે આવતા મહિને બેઇજિંગની મુલાકાત લેવાની તૈયારી કરી રહ્યા છે. પાકિસ્તાની અખબાર ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર અથવા ઝ્રઁઈઝ્ર પર પાકિસ્તાની વડાપ્રધાનના વિશેષ સહાયક ખાલિદ મન્સૂરને ટાંકીને જણાવ્યું હતું કે ઇમરાન ખાને વિદેશી રોકાણકારો માટે માર્ગ સરળ બનાવવા માટે ૩૭ નિયમો હટાવવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન દર ૧૫ દિવસે વ્યક્તિગત રીતે ઝ્રઁઈઝ્ર પ્રોજેક્ટ્સની પ્રગતિની માહિતી પણ લેશે.


