Gujarat

પાલનપુરની MRH મેસરા બાલમંદિરમાં તુલસી પૂજનની કરાઈ ઉજવણી

બનાસકાંઠા
પાલનપુરની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન એમ. આર. એચ મેસરા બાલમંદિરમાં તુલસી પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ વિવિધ ભગવાનોના પ્રતિકૃતિ બની પહેરવેશ ધારણ કર્યો હતો. બાલમંદિરના તમામ ભૂલકાઓએ પૂજા અર્ચના કરી તુલસી માતાની આરતી ઉતારી હતી. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન એમ. આર. એચ મેસરા બાલમંદિરમાં નાના નાના ભૂલકાઓ રંગબેરંગી કપડા પહેરી આવ્યાં હતા. આજના આધુનિક યુગમાં નાનપણથી બાળકોમાં સુસંસ્કારોનું સિંચન થાય ધાર્મિક અને આર્યુવેદિક દ્રષ્ટિએ તુલસીનું મહત્વ સમજે તે હેતુથી તુલસી પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તુલસી પૂજનમાં બાળકો વિવિધ ભગવાનોના પ્રતિકૃતિ બની પહેરવેશ ધારણ કર્યો હતો. બાલમંદિરના તમામ ભૂલકાઓએ પૂજા અર્ચના કરી તુલસી માતાની આરતી ઉતારી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ આર.એમ પટેલ ,માધ્યમિક વિભાગના આચાર્ય મણીભાઈ સુથાર, મહેન્દ્રભાઈ પંચાલ, બાલમંદિર વિભાગના આચાર્યા દર્શનાબેન મોદી, કોલેજ વિભાગના આચાર્યાં નેહલબેન, ઇંગ્લીશ મીડીયમના આચાર્યાં હેતલ રાવલ સમગ્ર સ્ટાફગણ અને મોટી સંખ્યા ભૂલકાઓ હાજર રહ્યા હતા.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *