Gujarat

પાવીજેતપુર તાલુકાના બાર ગામે ઝાડ સાથે કાર અથડાતા બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત : જ્યારે બે ઘાયલ

પાની ગામમાં જાન લઈને પરત આવતા અકસ્માત થતાં વરરાજાના પિતાનું કરુણ મોત
             પાવીજેતપુર તાલુકાના પાની ગામે જાન પરત આવતી હતી તે સમયે બાર મુકામે એક કાર ઝાડ સાથે ભયંકર રીતે અથડાતા બે વ્યક્તિના સારવાર દરમિયાન કરૂણ મોત થવા પામ્યા છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે.
            પાવીજેતપુર તાલુકાના પાની ગામેથી જાંબુઘોડા તાલુકાના ભાણપુરી ગામે તનયકુમાર  રાઠવાની જાન લઈને ૧૨ મેના રોજ ગયા હોય, વહેલી સવારે છ વાગ્યે પરત પાની ગામે આવી રહ્યા હતા ત્યારે બાર ગામના સ્મશાન પાસે જશવંતભાઈ નો પોતાની કારના સ્ટેરીંગ  ઉપરનો કાબુ ગુમાવી દેતા ઝાડ સાથે ભયંકર રીતે અથડાઈ હતી.
           આ અકસ્માતમાં વરરાજા તનયકુમારના પિતા જશવંતભાઈ  ( ઉ. વ. ૫૦ )નું સારવાર દરમિયાન કરૂણ મોત થયું હતું તેમજ માનવભાઈ  રાઠવા ( ઉ. વ. ૧૭ ) નું પણ સારવાર દરમિયાન કરૂણ મોત થવા પામ્યું છે. ભગવંતભાઇ  રાઠવા તથા અભયભાઈ રાઠવા નાઓને નાની મોટી ઇજાઓ થઇ હોય તેઓને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે.
          આમ, પાવીજેતપુર તાલુકાના પાની ગામેથી જાંબુઘોડા તાલુકાના ભાનપુરી  ગામે જઈ લગ્ન પતાવી વહેલી સવારે કન્યાને લઈને પાની ગામે પરત આવતા હોય ત્યારે ૭.૧૫ વાગે અકસ્માત સર્જાતા વરરાજાના પિતા સહિત બે વ્યક્તિઓના કરૂણ મોત થયા છે. જ્યારે અન્ય બે ઇસમોને વધુ સારવાર માટે વડોદરા મુકામે રીફર કરવામાં આવ્યા છે.
પાવીજેતપુર તાલુકાના બાર ગામે ઝાડ સાથે કાર અથડાતા બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે બે ઘાયલ થયા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
Attachments area

IMG-20220514-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *