અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાપુર ખાતેથી રિમોટ કંટ્રોલથી સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ થલતેજથી વસ્ત્રાલના મેટ્રોના ફેઝ-૧ના રૂટનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે. તેઓ ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસમાં બેસીને જ કાલુપુર મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કર્યું હતું. ભાજપ હંમેશાં ડબલ એન્જિન સરકારની વાત કરતી હોય છે, પરંતુ ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં આજે ખરા અર્થમાં વડાપ્રધાન મોદીની ડબલ એન્જિન ચૂંટણીરેલ જાેવા મળી છે. મોદીએ એઈસી ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધીને કહ્યું હતું કે અરે, મારા અમદાવાદીઓ… મારે અમદાવાદને સો સો સલામ કરવી છે. અમદાવાદીઓ માટે આ આનંદનો પ્રસંગ છે. મેટ્રો અને વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. પહેલાં સાબરમતીમાં બાળકો ક્રિકેટ રમતાં, નદી છલોછલ ભરાયેલી છે. પીએમ મોદીની ઈચ્છાશક્તિથી વિકાસનો નવો ઈતિહાસ રચાયો છે. ડબલ એન્જિન સરકારને કારણે વિકાસની ઝડપી વધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે ટ્રેનની મુસાફરી પણ કરી છે. હવે અમદાવાદ મેટ્રો રેલ ફેઝ ૧ના પશ્ચિમ કોરિડોરના થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનો પ્રારંભ કરાવી દીધો છે. વડાપ્રધાન ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન આવી પહોંચ્યા છે, ત્યાંથી કાલુપુર મેટ્રો સ્ટેશન ખાતે પહોંચીને મેટ્રોમાં સવાર થયા છે. મેટ્રો રેલમાં બેસી દૂરદર્શન થલતેજ ખાતે જાહેર સભાના સ્થળે પહોંચ્યા છે. જાહેર સભાના સ્થળે સવારથી જ મોટી સંખ્યામાં લોકો સભા સ્થળે પહોંચ્યા છે. અહીં તેઓ સભાને સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલુપુર મેટ્રો સ્ટેશનથી થલતેજ દૂરદર્શન કેન્દ્ર સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. મેટ્રો ટ્રેનમાં મુસાફરી દરમિયાન તેઓએ વિદ્યાર્થિનીઓ અને યુવતીઓ સાથે વાતચીત કરી હતી. ત્રણવાર ભારત માતા કી જય બોલાવીને વડાપ્રધાને સભાને સંબોધવાનું શરૂ કર્યું હતું. ૨૧મી સદીના ભારત અને અર્બન કનેક્ટિવિટી માટે અને આર્ત્મનિભર ભારત માટે બહુ મોટો દિવસ છે. થોડીવાર પહેલાં મેં ગાંધીનગર-મુંબઈની વંદે ભારત એક્સપ્રેસની ઝડપી મુસાફરીનો અનુભવ કર્યો, આ મુસાફરી તો કેટલીક મિનિટો જ હતી, પરંતુ મારા માટે ગૌરવથી ભરેલી ક્ષણ હતી. દેશની ત્રીજી અને ગુજરાત પહેલી વંદે ભારત ટ્રેન છે. લુપુર રેલવે સ્ટેશનથી કાલુપુર મેટ્રો સ્ટેશન, અને ત્યાંથી અમદાવાદ મેટ્રોની મુસાફરી કરી હું થલતેજ પહોંચ્યો, એટલે કે કોઈ બહારથી વંદે ભારતમાં આવતો હોય, ત્યાર બાદ સીધેસીધો મેટ્રો પર ચડીને શહેરમાં પોતાના ઘરે જઈ શકે છે કે કામ માટે શહેરના અન્ય ભાગમાં જઈ શકે છે અને ગતિ એટલી ઝડપી કે શેડ્યૂલ કાર્યક્રમ બનાવ્યો હતો, એનાથી ૨૦ મિનિટ પહેલાં હું થલતેજ પહોંચી ગયો, હું ટ્રેનમાં સફર કરી રહ્યો હતો ત્યારે ડિપાર્ટમેન્ટના લોકો કેટલીય ખૂબીઓ જણાવતા રહે છે, શું વ્યવસ્થા છે, સ્પીડ છે વગેરે. પરંતુ બીજું એક પાસું છે જેના તરફ ડિપાર્ટમેન્ટનું કદાચ ધ્યાન નથી ગયું. મને એ સારું લાગ્યું… હું કહેવા માગું છું, આ જે વંદે ભારત ટ્રેન છે, હું ગણિતજ્ઞ કે વૈજ્ઞાનિક નથી, પરંતુ હું મોટો મોટો અંદાજ લગાવી શકું છું કે હવાઈ જહાજમાં જેટલો અવાજ આવે છે એનાથી કદાચ ૧૦૦મો ભાગ થઈ છે, ૧૦૦ ઘણો વધારે અવાજ વિમાનમાં હોય છે, એટલે વાતચીત કરવામાં તકલીફ પડે છે. વંદે ભારત ટ્રેનમાં હું આરામથી વાત કરતો હતો, જે લોકો હવાઈ જહાજના આદી છે, તેમને અવાજનું જ્ઞાન થઈ જશે તો હું ચોક્કસ માનું છું કે હવાઈ જહાજ નહીં વંદે ભારત ટ્રેન પસંદ કરશે. અરે, મારા અમદાવાદીઓ.. મારે અમદાવાદને સો સો સલામ કરવી છે… નવરાત્રિનો તહેવાર હોય, રાત આખી દાંડિયા ચાલતા હોય, આપણું શહેર કે ગુજરાત સૂતં જ ન હોય અને આ ઘૂમઘમતી ગરમી વચ્ચે આટલો વિરાટ જનસાગર મેં પહેલીવાર જાેયો છે… હું અહીં જ મોટો થયો છું… અમદાવાદે મારો આવડો મોટો કાર્યક્રમ કરી બતાવ્યો હોય… એટલે અમદાવાદીઓને મેટ્રો શું છે એ સમજ છે. મેં કહ્યું, મેટ્રોમાં આખા દેશમાં આપણી જવાબદારી છે… અમારા અમદાવાદીઓ હિસાબ લગાવે, ઓટોમાં જાય તો કેટલો ટાઈમ જાય,, ગરમી લાગે… સૌથી વધારે આર્થિક રીતે લાભ કરે એટલે અમદાવાદનો પેસેન્જર કરતો.. પહેલાં અમદાવાદનો રિક્ષાવાળો ગીત ગાતા હતા. અમદાવાદને જેટલું અભિવાદન સલામ કરીએ એટલું ઓછું છે. ૨૧મી સદીના ભારતનાં શહેરોને નવી ગતિ મળશે.. શહેરોને આધુનિક બનાવવા જરૂરી છે. ટ્રાન્સપોર્ટ આધુનિક સીમલેસ, એકબીજાને સપોર્ટ કે એ જરૂરી છે. અમારી જમાત છે એ. બહુ વર્ષ પહેલાં અમે અમદાવાદમાં મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ લઈને અમે સમિટ કર્યું, ત્યારે હું ન કરી શક્યો.. તમે ત્યાં મોકલ્યો ત્યારે કરી દીધું.. વીતેલા ૮ વર્ષમાં શહેરો પર આટલું મોટું મૂડીરોકાણ કરાય છે. બે ડઝનથી વધારે શહેરોમાં મેટ્રો શરૂ થઈ છે કે કામગીરી ચાલી રહી છે. નાનાં શહેરોમાં હવાઈ સુવિધા આપવાની કામગીરી કરાઈ છે. ગાંધીનગર રેલવે સ્ટેશન દુનિયાના કોઈપણ એરપોર્ટથી કમ નથી. બે દિવસ પહેલાં અમદાવાદ રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાની સ્વીકૃતિ આપી દીધી છે. દેશનાં શહેરોના વિકાસ માટે આટલું બધું મૂડીરોકાણ એટલા માટે કરાય છે કે દેશનો વિકાસ સુનિશ્ચિત કરશે.


