Gujarat

પોલિટિકલ ફન્ડિંગ મામલે રાજસ્થાનમાં ગેહલોત સરકારના મંત્રી રાજેન્દ્ર યાદવને આવકવેરાના દરોડા પડ્યા

અમદાવાદ
આવકવેરા વિભાગે દેશભરના ૭ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. આઈટીએ આ દરોડા રાજકીય ફંડિંગ સંબંધિત મામલામાં પાડ્યા છે. અહેવાલો અનુસાર, આઈટી ટીમો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં પણ હાજર છે. તે જ સમયે, રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારના મંત્રી રાજેન્દ્ર યાદવના ૫૩ સ્થળો પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. રાજેન્દ્ર યાદવને શિક્ષણ સાથે જાેડાયેલા ઘણા બિઝનેસ છે. અમદાવાદમાં આવકવેરા વિભાગના દરોડા સતત ચાલુ રહ્યાં છે. તાજેતરમાં ચિરિપાલ ગ્રુપ સહિતનાં ઠેકાણે આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો હતો. હવે ફરીવાર શિક્ષણ સંસ્થા પર દરોડા પાડીને સપાટો બોલાવ્યો છે. શહેરની સિલ્વર ઓક કોલેજ અને યુનિવર્સિટીમાં સવારે આવકવેરા વિભાગની ટીમ કેમ્પસમાં પહોંચી હતી, જેથી વિદ્યાર્થીઓ અને સ્ટાફના કર્મચારીઓને રજા આપીને પરત મોકલી દેવાયા હતા. એડમિશનના ટ્રાન્ઝેક્શન મામલે તપાસ કરાઈ છે. તાજેતરમાં સિલ્વર ઓક યુનિવર્સિટીને માન્યતા મળી છે. માન્યતા મળતાં જ અનેક નવા કોર્સ શરૂ કરીને સંખ્યાબંધ એડમિશન આપવામાં આવ્યાં હતાં, જેને કારણે કોલેજમાં મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થયા હોવાનું આવકવેરા વિભાગના ધ્યાનમાં આવ્યું હતું. એને કારણે જ આજે આ કેમ્પસમાં આવકવેરા વિભાગની ટીમ પહોંચી હોવાની શક્યતા છે. આગામી ૨૪મી સપ્ટેમ્બરે સિલ્વર ઓક યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાવાનો છે. આ સમારોહમાં મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિત અનેક લોકો હાજર રહેવાના છે. જાેકે સમારોહ પહેલાં જ આવકવેરા વિભાગના દરોડા પડતાં આખી યુનિવર્સિટી ચર્ચાનો વિષય બની છે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *