Gujarat

બિનાકા ચોક થી સોમનાથ મંદિર સુધી રોડ બનાવવા બાબત કાર્યપાલક ઈજનેર ને રજુઆત કરતા અમરેલી નગરપાલિકા ના વિપક્ષ નેતા સમીર કુરેશી                      

અમરેલી ના મુખ્ય માર્ગ બનાવવા અનુસંધાને  અમરેલીમાં બિનાકા ચોક થી સોમનાથ મંદિર સુધીનો રોડ ભુગર્ભ ગટરની કામગીરી બાદ અતિ બિસ્માર થઈ ગયેલ છે.આ રસ્તો અમુક મુખ્ય શહેર તથા નાના મોટા ગ્રામ્ય વિસ્તાર ને જોડતો રસ્તો છે અને આખો દિવસ વાહનો થી ધમધમતો રોડ છે તેથી અકસ્માત થવાનો સતત ભય રહે છે. ઉપરાંત આ રોડ અમરેલીના અતિ ગીચતા વાળા રહેણાંક વિસ્તારમાંથી પસાર થાય છે અને લોકોની અવર જ્વર પણ રહે છે જેથી ખાડા ના હિસાબે અકસ્માતનો સતત ભય રહે છે અને જાનમાલની નુકશાનીની ચિંતા રહે છે તો આ રોડ તાત્કાલિક અસરથી બનાવી અને લોકોની સુખાકારીમાં વધારો કરી આપવા લેખિત રજુઆત કરવામાં આવી હતી
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220905-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *