કડીલા માઇનોર માં ઠેકઠેકાણે ગાબડાં પડતાં રહ્યા છે. ત્યારે ત્યાં વધુ એક વખત ગાબડું પડ્યું હતું. ખેતર માં પાણી લેવા માટે ખેડૂતો આયોજન માં લાગ્યા છે. ત્યારે જ ગાબડું પડતા ખેડૂતો માટે ઉભા પાક ને નુકશાન થાય તે પોષાય તેમ નથી. તેથી તંત્ર ને જાણ કરાય તે પહેલાં જ કેનાલ માં પડેલું ગાબડું પૂરવા માટે જે સી બી કામે લગાડ્યું અને કામગીરી ખેડૂતો એ કરી લીધી હતી. ત્યાં અધિકારી ગયા ત્યાં કામ પૂર્ણ થયું હતું.
તંત્ર માટે આવા ગાબડાં તત્કાળ પૂરવા માટે આયોજન કરવું પડે તેમાં ખૂબ વિલંબ થાય . તેથી ખેડૂતો આવું સમજી ને પોતાની પાણી માટે ની મહત્વતા સમજી કામગીરી કરી હતી. હવે કેનાલ માં પણી પહોંચાડવા માટે અધિકારી પાસે ખેડૂતોએ રજૂઆત કરી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


