હઝરત મોહંમદ સાહેબના જન્મ દિવસ ની ખુશીમાં બોડેલી નગરના વિવિધ વિસ્તારોમાં ઈદે મિલાદ નુ ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું
ઇદ-એ-મિલાદ-ઉન-નબી મુસ્લિમો માટે એક પવિત્ર તહેવાર છે
આ તહેવાર ખુશીનો તહેવાર છે મુસ્લિમ સમાજના લોકો પોતાના મકાનો ને મસ્જિદો નગરના રસ્તાઓ ને રોશનીથી શણગારે છે
પેગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મ દિવસ ની ખુશીમાં ઉજવા તો ઈસ્લામિક તહેવાર ઇદ-એ-મિલાદ-ઉન-નબી, ના દિવસે મુસ્લિમ સમાજ દ્વારા ખુશી મનાવવામાં આવે છે બોડેલી નગર ના વિવિધ વિસ્તારો ને રોશનીથી શણગારવામાં આવ્યા છે આજે સવારે ઈદે મિલાદ નું જુલૂસ ઢોકલીયા થી નીકળી અલીપુરા ચાર રસ્તાથી અહેમદી મસ્જિદ સુધી નીકાળવામાં આવ્યું હતું
ત્યારે આજે ઇદ-એ-મિલાદ ના પર્વને લઇને બોડેલી નગર માં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


