મહેસાણા
મહેસાણા શહેરમાં કોરોનાએ અનેક વેપારીઓના ધંધા રોજગાર છીનવી લીધા છે. ત્યારે મહેસાણા નગરપાલિકાના ગુમસ્તા ધારાના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે છેલ્લા દસ માસમાં મહેસાણા શહેરમાંથી ૩૮૨ વેપારીઓએ પોતાના શોપ લાયસન્સ રદ કરાવ્યા છે. જ્યારે હવે આ વર્ષેથી વેપારીઓ એક જ વખત શોપ એક્ટની જાેગવાઈ મુજબ શોપ કે ઓફિસનું લાઇસન્સ લઇ શકે ત્યારબાદ તેને રીન્યુ કરાવવું પડશે. અત્યાર સુધીમાં શોપ લાયસન્સ લેનારને પ્રથમ એક વર્ષ માટે ત્યારબાદ ૩ વર્ષ અને ત્યારબાદ પાંચ વર્ષ માટે લાયસન્સ રીન્યુ કરી આપવામાં આવતા હતા, પરંતુ હવે નવા નિયમ મુજબ શોપ ધરકોએ એક જ વખત લાયસન્સ માટે એપ્લાય કરવાનું રહેશે. આથી જે લાયસન્સ ધારકોની મુદત પૂર્ણ થઈ હોય અથવા જેને નવા લાયસન્સ લેવાના હોય તેવા ૪૬૬ શોપ ધરકોએ ૧ જાન્યુઆરી ૨૦૨૨થી અત્યાર સુધીમાં નવા લાઇસન્સ કઢાવ્યા છે જેમાં રીન્યુ કરાવવાનો પણ સમાવેશ થાય છે.


