ગિરગઢડા તા
ભરત ગંગદેવ..
રઘુવંશી એજ્યુકેશન ટ્રસ્ટ ડીસા સંચાલિત સર્વ મંગલમ વિધાલયની અગત્યની બેઠક સંસ્થાના પ્રમુખ કનુભાઈ આચાર્યના અધ્યક્ષ સ્થાને મળી હતી.આ બેઠકમાં ધોરણ-1 થી 8 ના પ્રથમ ત્રણ નંબર આવેલ 24 જેટલા વિધાર્થીઓનું દબદબાભેર સન્માન કરાયું હતું.સંસ્થાના વિકાસ માટે વિવિધ મુદાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી.સંસ્થાના મંત્રી તેમજ સંચાલક ઈશ્ર્વરભાઈ રાવળ દ્રારા કરવામાં આવેલ કામગીરીની સરાહના કરાઈ હતી.સંસ્થાના ઉપપ્રમુખ ભગવાનભાઈ બંધુ તેમજ ટ્રસ્ટીઓ-શુભેચ્છકો સર્વ જયંતિભાઈ ઓઢાવાળા,નાથાલાલ ખત્રી,બળદેવભાઈ રાયકા,જયેશભાઈ દેસાઈ, મહેશભાઈ ઉદેચા,મહેશભાઈ મનવર ,વિપુલભાઈ દેસાઈ, પ્રિન્સિપાલ વનીતાબેન સુથાર સહિત સૌએ ખાસ હાજરી આપી વિધાર્થીઓનું હિત થાય તે દિશામાં વિચારણા કરી હતી.
આ શુભ અવસરે વાલીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના સંચાલનથી રાજીપો વ્યક્ત કરી સહકાર આપવાની ખાત્રી આપી હતી.


