અમદાવાદ
મહારાષ્ટ્રના મુંબઈ, થાણે અને પૂણેમાં કોરોના સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યુ છે. તેથી આ શહેરોમાં કોરોના અને ઓમિક્રોનના જાેખમને ધ્યાનમાં રાખીને શાળા બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. પરંતુ રાજ્યના અન્ય શહેરોમાં શાળાઓ બંધ કરવામાં આવી નથી. જાે કે સંક્રમણ વધુ ફેલાશે તો બાકીના શહેરોમાં પણ શૈક્ષણિક કાર્ય બંધ કરવા અંગે રાજ્યના આરોગ્ય પ્રઘાન રાજેશ ટોપેએ સંકેત આપ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે સમયાંતરે કોરોના સંબંધિત સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. જરૂર પડશે તો મુખ્યમંત્રી દ્વારા નિયંત્રણો વધુ કડક કરવામાં આવશે. જેથી રાજેશ ટોપેએ નાગરિકોને કોરોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે ઘરની બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરો, ઘરે આવ્યા પછી તમારા હાથ સાબુથી સારી રીતે ધોવા. જાે તમને કોરોનાના લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.મહારાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાનો કહેર જાેવા મળી રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં ૪૦ હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જેમાં માત્ર મુંબઈમાં જ ૨૦ હજારથી વધુ કોરોનાના કેસ સામે આવતા તંત્રની ચિંતા વધી છે. આવી સ્થિતિમાં કોરોનાથી બચવા રસીકરણ ખુબ જરૂરી છે. બીજી તરફ રાજ્યમાં કોરોના વધતા સંક્રમણને પગલે કડક પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે. તેમજ પોલીસને પણ આ નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જે લોકો કોરોના નિયમોનું યોગ્ય રીતે પાલન નહીં કરે તેમની સામે કેસ નોંધવા પણ તંત્રએ આદેશ કર્યા છે. વધતા કોરોના સંક્રમણને લઈને મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ ૧૫થી ૧૮ વર્ષની વયના યુવાનોને રસીકરણ માટે ઉત્સાહ દાખવવા અપીલ કરી છે. રાજેશ ટોપેએ કહ્યું ‘રસીકરણથી સારો કોઈ વિકલ્પ નથી. રાજ્યમાં ત્રીજા લહેરની આશંકા વચ્ચે આ શ્રેષ્ઠ ઉપાય છે. કોરોનાના ત્રીજી લહેરને રોકવા માટે આગામી દિવસોમાં નિયમો વધુ કડક કરવામાં આવશે અને તેનું ચુસ્તપણે પાલન કરવા પણ નિદર્શ કરવામાં આવશે.
