અમરેલી
આજકલ લોકોને સહનશક્તિ રહી નથી અને નાની નાની વાતમાં મોટું સ્વરૂપ લઈ લે છે અને આત્મહત્યા કરી બેસે છે ત્યારે અમરેલીના રાજુલામા રેઇનબો સોસાયટીમા પુત્રને સુવડાવી દેવા માટે પતિએ પત્નીને ઠપકો આપતા પત્નીએ રૂમનુ બારણુ બંધ કરી છતમા હુક સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.અહી રહેતા કોમલબેન જયેશભાઇ વાગડીયા (ઉ.વ.૨૨) નામના મહિલા અને તેના પતિ જયેશભાઇ બંને રાત્રીના સુતા હતા ત્યારે તેનો પુત્ર રડતો હોય જેથી જયેશભાઇએ તેના પત્નીને કહેલ કે પુત્રને છાનો રાખી સુવડાવી દે.જાે કે કોમલબેનને આ વાતનુ લાગી આવતા તેઓ રીસાઇને સુઇ ગયા હતા. જાે કે સવારના તેણે રૂમનુ બારણુ બંધ કરી છતના હુકમા દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. બનાવ અંગે જયેશભાઇ વાગડીયાએ રાજુલા પોલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી ચલાવી રહ્યાં છે.

