Gujarat

રાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ આગામી ચાર દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે

 

મંત્રીશ્રી સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે તેમજ ધી જામનગર જિલ્લા કો-ઓપરેટીવ બેંકની બોર્ડ મીટિંગમાં હાજરી આપશે

જામનગર તા.૧૧ મે, આવતીકાલ તા.૧૨ મે ગુરુવાર થી તા.૧૫ મે રવિવાર સુધી રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે છે. જેમાં તેઓ તા.૧૩ના રોજ ૧૧:૩૦ કલાકે ધી જામનગર જિલ્લા કો-ઓપરેટીવ બેંક લીની બોર્ડ મિટિંગમાં હાજરી આપશે અને બપોરે ૦૨:૦૦ કલાકે તેમજ તા.૧૪ના રોજ ૧૦:૦૦ કલાક થી ૦૫:૦૦ કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે. જેમાં મંત્રીશ્રી જિલ્લાના લોકોની મુલાકાત લઇ લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે. તેમજ અન્ય સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં મંત્રીશ્રી ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *