Gujarat

શિવમંદિરમાં ભારે ભીડ થતાં પોલીસે નદીથી લોકોને દૂર રાખવા બંદોબસ્ત ગોઠવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદી બે કાંઠે વહેતા દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધી છે. ક્યુસેક પાણીની આવક ચાલુ છે.ઇકબાલગઢ નજીક આવેલા વિશ્વેશ્વર મહાદેવના મંદિરે મોટા પ્રમાણમાં લોકો ઊમટતા હોય છે અને બનાસ નદીમાં સ્નાન કરતા હોઈ છે. પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીના પાણીમાં વધારો થતાં અમીરગઢ મામલતદાર દ્વારા લોકોને પાણીમાં ન ઉતારવા વિશ્વેશ્વર ખાતે પોલીસ ખડકી દેવામાં આવી છે. રક્ષાબંધનનો તહેવાર હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો વિશ્વેશ્વર પહોંચ્યા હતા. પરંતુ અમીરગઢ મામલતદારની સૂચના ને ધ્યાને લઇ અમીરગઢ પોલીસે તેમને નદીના પટમાં ઊતરવા દીધા ન હતા. જેથી વિશ્વેશ્વર મંદિરમાં મહાદેવના ભગવાનના દર્શન કરી લોકો પરત ફર્યા હતા.ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદી બે કાંઠે રહેતા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક આવેલા બનાસ નદીના કિનારે આવેલા વિશ્વેશ્વરમાં મોટી સંખ્યામાં લોક પહોંચ્યા હતા. પરંતુ મામલતદાર દ્વારા લોકોને નદીના પટમાં ન ઉતારવા આદેશ કરતા અમીરગઢ પોલીસે તેમને નદીના પટથી બહાર રાખ્યા હતા.

Page-48.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *