Gujarat

સુરત મનપા દ્વારા નર્સ, ડોક્ટરના સ્ટાફનું મહેનતાણું ઘટાડી દેતા રોષ

સુરત
સુરતમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે મેડિકલ કર્મચારીઓને કોન્ટ્રકટ પર લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ બીજી લહેરમાં છૂટા પણ કરી દેવામાં આવ્યા હતા. જાેકે ત્રીજી લહેરમાં ફરી આ તમામ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર લેવામાં આવ્યા હતા પરંતુ આ વખતે મહેનતાણું ઓછું આપવામાં આવી રહ્યું છે. જેને લઈને નર્સિંગ, લેબ ટેક્નિશિયન તેમજ આયુષ ડોક્ટર સ્ટાફ મનપા કચેરી પર પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ મનપા કચેરી બહાર અમારી માંગો પૂરી કરો જેવા સુત્રોચ્ચાર પણ કર્યા હતા. આયુષ મેડીકલ ઓફિસરે જણાવ્યું હતું કે મહેનતાણું ઘટાડવાનું કારણ શું છે તે જણાવવામાં આવ્યું નથી. કોરોનામાં અમે જીવના જાેખમે કામગીરી કરીએ છીએ. અમે દર્દીના ઘરે જઈને ટેસ્ટિંગ કરીએ છીએ. ક્યારેક અમારી સાથે આંતકવાદીઓ હોય તેમ વર્તન કરાઈ છે. અમે ટેસ્ટિંગનો ટાર્ગેટ પણ અપાઈ છે. તેમ છતાં અમે કામગીરી કરીએ છીએ તો પણ અમને પગાર ઓછો કેમ અપાય છે.કોરોના સંક્રમણ રોકવા કોન્ટ્રાક્ટ પર કામગીરી કરતા નર્સિંગ, લેબ ટેક્નિશયન અને આયુષ ડોક્ટરના સ્ટાફે સુરત મનપા કચેરી પર મોરચો માંડ્યો હતો. મહેનતાણું ઘટાડી દેવામાં આવતા મનપા કચેરી બહાર સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *