Gujarat

સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો માટે બે મિનિટ મૌન પાળી ઋણ અદા કરાવામાં આવશે

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજરોજ ૩૦ જાન્યુઆરી શહીદ દિને સવારે ૧૧-૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવશે. જે અનુસંધાનેજિલ્લાની દરેક કચેરીના અધિકારી/કર્મચારી દ્વારા શહીદ દિન નિમિતે બે મિનિટનું મૌન પાળવામાં આવશે. સાથે જ જાહેર જનતાને પણ ૧૧:૦૦ કલાકે મૌન પાળવા અને કામકાજની અને વાહનવ્યવહારની ગતિ તેટલો સમય બંધ રાખી શહીદો પ્રત્યે ઋણ અદા કરવા અનુરોધ કરવામાં આવે છે.

 

દિવ્યા                                       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *