Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરમાં વધુ એક પ્રવાસીની ગોળી મારીને હત્યા

શ્રીનગર
જમ્મુ કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓએ શુક્રવારે પ્રવાસીની ગોળી મારીને હત્યા કરી દીધી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના મતે મૃતકની ઓળખ બિહારના ૧૯ વર્ષીય યુવક મોહમ્મદ અમરેજના રૂપમાં થઇ છે. પોલીસના મતે આ ઘટના બાંદીપોરા જિલ્લાના સદુનારા ગામમાં બની છે. અમરેજ મધેપુરા જિલ્લાના બેસાઢ ગામનો રહેવાસી હતો. તેના પિતાનું નામ મોહમ્મદ જલીલ બતાવવામાં આવી રહ્યું છે. અમરેજ કાશ્મીરમાં મજૂરી કરવા માટે આવ્યો હતો. આ વિશે વધારે માહિતી મેળવવામાં આવી રહી છે. બાંદીપોરાના સુંબલમાં આતંકવાદીઓએ બિહાર નિવાસી પ્રવાસી મજૂર પર ગોળીઓ ચલાવી હતી જેમાં તે ઇજાગ્રસ્ત થયો હતો. મજૂરને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યા તેનું મોત થયું હતું. આ પહેલા ૪ ઓગસ્ટે પુલવામાના ગદુરા વિસ્તારમાં આતંકીઓના ગ્રેનેડ હુમલામાં પ્રવાસી મજૂરનું મોત થયું હતું. આતંકવાદીઓ દ્વારા ઘાટીમાં ગૈર કાશ્મીરીઓની હત્યાઓનો સિલસિલો યથાવત્‌ છે. ઓપ્રિલમાં દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાકરાન વિસ્તારમાં આતંકવાદીઓએ એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જેની ઓળખ સતીશ સિંહ રાજપૂત તરીકે થઇ હતી. કાશ્મીર ઘાટીમાં સક્રિય આતંકવાદી સંગઠનોએ ગૈર સ્થાનીય લોકોને ચેતવણી પણ આપી હતી કે અહીંથી ચાલ્યા જાવ. પ્રધાનમંત્રી પુર્વવાસ પેકેજ અંતર્ગત ઘાટીમાં રહેલા કાશ્મીર પંડિત સમુદાયના સરકારી કર્મચારીઓને પણ આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કાશ્મીર ઘાટીમાં ટાર્ગેટ કિલિંગ્સના કારણે સરકારી કર્મચારી, પ્રવાસી મજૂર ભયમાં છે. ગત દિવસોમાં આતંકવાદીઓ ટીવી આર્ટિસ્ટ, બેંક કર્મી, સરકારી કર્મચારીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં આતંકવાદીઓ દ્વારા ગૈર કાશ્મીરીઓ અને કાશ્મીર પંડિતોની ટાર્ગેટ કિલિંગે ચિંતા વધારી દીધી છે. ગત માર્ચ-એપ્રિલમાં ૨૬ દિવસોમાં ટાર્ગેટ કિલિંગની ૧૦ ઘટનાઓ સામે આવ્યા પછી કાશ્મીર પંડિયો અને પ્રવાસીઓએ ઘાટીમાંથી પલાયન શરુ કરી દીધું હતું. છેલ્લા કેટલાક મહિનામાં જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટેડ કિલિંગ અલ્પસંખ્યકો, પ્રવાસીઓ અને સુરક્ષા કર્મીઓને નિશાન બનાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યા છે.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *