Jammu and Kashmir

આતંકીના મરવા પર બોલી કાશ્મીરી પંડિત પૂરન કૃષ્ણ ભટની પત્ની,’આજે શાંતિ તો ખૂબ થઈ…’

શ્રીનગર
જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ આતંકીઓમાંથી એક કાશ્મીરી પંડિત પુરણ કૃષ્ણ ભટની હત્યામાં સામેલ હતો. જ્યારે અન્ય એક આતંકવાદીએ નેપાળી નાગરિકની હત્યા કરી હતી. આ ઓપરેશન પછી ન્યૂઝ ૧૮એ પુરણ કૃષ્ણ ભટની પત્ની સ્વીટી ભટ સાથે વાત કરી. તેણે કહ્યું, આજે મને ઘણી શાંતિ મળી છે. આજે મારા પતિની હત્યા કરનાર આતંકવાદી માર્યો ગયો છે, પરંતુ મારા બાળકો અનાથ થઈ ગયા છે અને પરિવાર ખાલી છે. પૂરનને આ વર્ષે ૧૫ ઓક્ટોબરે શોપિયાંના ચૌધરી ગુંડમાં તેના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓએ માર્યો હતો. આ જ આતંકીને સુરક્ષા દળોએ ઠાર માર્યો હતો. સ્વીટીએ કહ્યું, આજે આતંકવાદીઓના બાળકો પણ રડશે જેમ મારા બાળકો રડે છે. મારા બાળકો ૧૫મી ઓક્ટોબરથી તેમના પિતાને યાદ કરીને રડી રહ્યા છે. તેમણે સુરક્ષા દળોનો આભાર માન્યો હતો. ભટના પરિવારના સભ્યોનું કહેવું છે કે સુરક્ષા દળો જ કાશ્મીરમાં સ્થિતિ સુધારી શકે છે. જ્યારે સ્થિતિ સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે ત્યારે કાશ્મીરમાં આ રીતે કોઈની હત્યા નહીં થાય. ઉલ્લેખનીય છે કે, હકીકતમાં, શોપિયાં જિલ્લામાં, સુરક્ષા દળોને માહિતી મળી હતી કે મુંઝ માર્ગ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા છે. આ પછી સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તેઓએ એન્કાઉન્ટર કર્યું અને ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા. માર્યા ગયેલા ત્રણેય આતંકીઓ લશ્કર-એ-તૈયબા સંગઠનના કહેવાઈ રહ્યા છે. કાશ્મીરના છડ્ઢય્ઁએ જણાવ્યું કે માર્યા ગયેલા ૩ સ્થાનિક આતંકવાદીઓમાંથી ૨ની ઓળખ થઈ ગઈ છે. આતંકવાદી લતીફ લોન શોપિયાં જિલ્લાનો રહેવાસી હતો. તે કાશ્મીરી પંડિત કૃષ્ણ ભટની હત્યામાં સામેલ હતો. અન્ય આતંકવાદી અનંતનાગનો ઉમર નઝીર હતો, જે નઝીર નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતો. આતંકીઓ પાસેથી ૧ એકે ૪૭ રાઈફલ અને ૨ પિસ્તોલ મળી આવી છે.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *