Jammu and Kashmir

ઉદયપુર હત્યાકાંડના આરોપીઓને લોકોએ જયપુર કોર્ટમાં માર માર્યો

જમ્મુકાશ્મીર
ઉદયપુર હત્યાકાંડની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હત્યારાઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસની પૂછપરછ સતત ચાલી રહી છે, જેમાં દરરોજ નવી-નવી વાતો સામે આવી રહી છે. આવા જ કેટલાક નવા સવાલો સામે આવ્યા છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, વીડિયોમાં જે પ્રકારના ખતરનાક ખંજર આ બંને હત્યારાઓ બતાવી રહ્યા છે, તેવા વધુ બે ખંજર બનાવાયા હતા. આખરે બંને હત્યારાઓની હત્યા કર્યા બાદ જે વીડિયો બનાવવામાં આવ્યો હતો તે કોણ છે? આખરે આ હત્યારાઓને વીડિયો બનાવવામાં કોણ મદદ કરતું હતું? આ સવાલોના જવાબ પોલીસ શોધી રહી છે. પોલીસની પૂછપરછમાં એવું પણ બહાર આવ્યું છે કે, આ બંને એટલે કે આસિફ અને મોહસીને ખંજર પણ લીધું હતું. એટલે કે કન્હૈયાને મારવા માટે કુલ ચાર ખંજર બનાવવામાં આવ્યા હતા. રિયાઝ અને ગૌસ મોહમ્મદ પાસે બે ખંજર હતા અને બે ખંજર આસિફ અને મોહસીન પાસે હતા.ઉદયપુર હત્યાકાંડના ચારેય આરોપીઓને જયપુર કોર્ટમાંથી બહાર નીકળતી વખતે એડવોકેટ્‌સ દ્વારા ભારે માર મારવામાં આવ્યો હતો. કોઈ પણ વકીલે આરોપીનું પ્રતિનિધિત્વ કર્યું ન હતું. દ્ગૈંછ એ ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. અજમેર જેલમાં પરત લઈ જતી વખતે વકીલોનો ગુસ્સો આરોપીઓ પર ફાટી નીકળ્યો હતો. તેઓએ ચારેય આરોપીઓને માર માર્યો હતો. આરોપીઓને લઈને પોલીસ ટીમ તેમને કોર્ટમાં રજૂ કરતા પહેલા એટીએસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (ર્જીંય્)ની ઓફિસે પહોંચી હતી. દ્ગૈંછએ છ્‌જી પાસેથી તમામ દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા. આ પછી, કન્હૈયાલાલ હત્યા કેસના બે મુખ્ય આરોપીઓ મોહમ્મદ રિયાઝ અખ્તારી, ગૌસ મોહમ્મદ અને તેમના સહયોગીઓ આસિફ અને મોહસીન સહિત ચાર આરોપીઓને દ્ગૈંછ અને છ્‌જીની ટીમે કોર્ટમાં રજૂ કર્યા હતા.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *