Jammu and Kashmir

નવા વર્ષમાં વૈષ્ણોદેવીમાં નાસભાગમાં ૧૨ લોકોના મોત

જમ્મુ-કાશ્મીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું કે, માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં લોકોના મોતથી ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય. જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હા, મંત્રીઓ જિતેન્દ્ર સિંહ અને નિત્યાનંદ રાય સાથે વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો છે. જ્યારે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે ટિ્‌વટ કર્યું, કે ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રીતે માતા વૈષ્ણોદેવી મંદિરમાં થયેલ ભાગદોડના કારણે ઉદ્ભવેલી દુઃખદ સ્થિત પર નજર રાખી રહ્યા છીએ. પીએમએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને તમામ શક્ય તબીબી સહાય અને સહાય પૂરી પાડવા સૂચનાઓ આપી છે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે, કટરામાં માતા વૈષ્ણોદેવી ભવનમાં નાસભાગમાં ૧૨ લોકોના મોત થયા છે. આ ઘટના સવારે ૨ઃ૪૫ કલાકે બની હતી અને પ્રાથમિક અહેવાલો મુજબ કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, જેના પરિણામે લોકોએ એકબીજાને ધક્કો માર્યો હતો અને પછી નાસભાગ મચી ગઈ હતી.જમ્મુ-કાશ્મીરમાં નવા વર્ષ નિમિત્તે માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગના સમાચાર સામે આવ્યા છે. એવી માહિતી છે કે આના કારણે અત્યાર સુધીમાં ૧૨ લોકોના મોત થયા છે, જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના ત્રિકુટા હિલ્સ પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે નવા વર્ષની શરૂઆત નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા છે. દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. વરિષ્ઠ અધિકારીઓ અને શ્રાઈન બોર્ડના અધિકારીઓ સ્થળ પર હાજર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણા લોકો મૃત મળી આવ્યા હતા અને તેમના મૃતદેહોને ઓળખ અને અન્ય કાનૂની ઔપચારિકતા માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ઓછામાં ઓછા ૨૬ અન્ય લોકોને માતા વૈષ્ણોદેવી નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાય ઘાયલોની હાલત ગંભીર ગણાવવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના કટરા સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના બ્લોક મેડિકલ ઓફિસર ડૉ. ગોપાલ દત્તે જણાવ્યું કે, માતા વૈષ્ણોદેવી ભવનમાં નાસભાગને કારણે ૧૨ લોકોના મોત થયા છે અને ઘાયલોને નારાયણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મૃતકોમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના લોકોનો સમાવેશ થાય છે. આ મામલે વધુ માહિતી મેળવવાની રાહ જાેવાઈ રહી છે. તેમજ યાત્રા રોકી દેવામાં આવી છે. પીએમઓ વતી, ટ્‌વીટ કરીને કહેવામાં આવ્યું છે કે નાસભાગમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ઁસ્દ્ગઇહ્લ તરફથી ૨ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.

Vaishno-Devi-Temple-Jammu-And-Kashmir.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *