Karnataka

અગ્નિપથ યોજના થકી બીજેપીના કાર્યકર્તા બનાવે છે ઃ મમતા બેનર્જી

કોલકતા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર અગ્નિપથ યોજના પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે અગ્નિવીરોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ગણાવ્યા છે. સાથે જ તેમને નોકરીમાં પ્રાથમિકતા આપવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો છે. તેમણે આ જવાબ કેન્દ્ર તરફથી મળેલા પત્રના જવાબમાં આપ્યો છે. આ પહેલા પણ સીએમ બેનર્જી ભાજપ પર અગ્નિપથ યોજના દ્વારા સશસ્ત્ર કેડર બનાવવાનો આરોપ લગાવી ચુક્યા છે.
એક કાર્યક્રમ દરમિયાન સીએમ બેનર્જીએ કહ્યું, ‘મને એક પત્ર (કેન્દ્ર તરફથી) મળ્યો છે જેમાં તેમણે રાજ્ય સરકારને ૪ વર્ષ પછી અગ્નિવીરોને નોકરી આપવાની અપીલ કરી છે. તેઓ ઈચ્છે છે કે હું ભાજપના કાર્યકરોને નોકરી આપુંપ આપણે આવું શા માટે કરીએ?પ રાજ્યના યુવાનોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
આ પહેલા પણ સીએમ બેનર્જીએ અગ્નિપથ યોજના પર ભાજપ પર નિશાન સાધ્યું હતું. કેન્દ્રના પત્ર અંગે તેમણે કહ્યું હતું કે, ‘આર્મ્ડ ફોર્સના એક કર્નલ તાજેતરમાં મને આ વિનંતી સાથે એક પત્ર મોકલ્યો હતો. પણ આપણે ભાજપની ડસ્ટબીન કેમ સાફ કરીએ? જ્યારે કેન્દ્ર ચાર વર્ષ પછી તેમને મુક્ત કરશે, ત્યારે રાજ્યએ તેમને સંપૂર્ણ કાર્યકાળની નોકરી આપવાની જવાબદારી શા માટે લેવી જાેઈએ? તેઓ ૬૦ વર્ષ પૂરા કરે ત્યાં સુધી તેમને સૈનિક તરીકે પૂર્ણ કાર્યકાળ આપવાની જવાબદારી કેન્દ્ર શા માટે નથી લેતું?’
તૃણમૂલ કોંગ્રેસના વડા બેનર્જીએ અગ્નિપથ યોજનાને મત મેળવવા અને ગુંડાઓ અને કેડર બનાવવા માટે ભાજપની ‘લોલીપોપ’ ગણાવી હતી. એસેમ્બલીમાં પોતાના સંબોધનમાં બેનર્જીએ કહ્યું, “અગ્નિપથ વાસ્તવમાં બીજેપી કેડર નિર્માણનો પ્રોજેક્ટ છે. એ અલગ વાત છે કે કેન્દ્ર યુવાનોને કાયમી નોકરી આપે છે, પરંતુ અગ્નિપથ વાસ્તવમાં ચાર વર્ષની લોલીપોપ છે. ચાર વર્ષ પછી તેમને બંદૂકનો ઉપયોગ કરવાની મંજૂરી મળશે અને તે પછી તેઓ શું કરશે? જાે એમ હોય તો ભાજપ યુવાનોને છેતરે છે!’
“અગ્નવીર’ નામ એવા લોકોને આપવામાં આવી રહ્યું છે જેમની યોજના હેઠળ ભરતી કરવામાં આવશે અને તેઓ ભાજપ માટે મત લૂંટશે,” તેમણે કહ્યું. સરકારે સશસ્ત્ર દળોમાં ભરતી માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત સેનામાં સામેલ થનારાઓને અગ્નિવીર કહેવામાં આવશે.

file-02-page-39.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *