Karnataka

કોલકાતાની હોસ્પિટલના ૮મા માળથી કૂદતા અધિકારીનું મોત

કોલકાતા
ડિપ્રેશનથી પીડિત એક વ્યક્તિ સુજીત અધિકારીએ શનિવાર સવારે કોલકાતામાં ન્યુરોસાયન્સની સંસ્થાના આઠમાં માળથી કૂદી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ રાતે ૮ વાગ્યાની આસપાસ તેનું મોત થયું છે. આ પહેલા શનિવાર સવારે અધિકારી હોસ્પિટલના રૂમની બારીમાં થઈ કોર્નિસ પર બેસી ગયો હતો. તેને બચાવવા માટે રાજ્યના ફાયર સર્વિસ કર્મચારીઓ અને આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓનો પ્રયાસ નિષ્ફળ રહ્યો, કેમ કે તે પહેલા જ તે આઠમાં માળથી કૂદી ગયો હતો. વધારે પડતું લોહી વહી જવાને કારણે અધિકારીને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઇ જવામાં આવ્યો જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું. જાે કે, તમામ પ્રયાસ નિષ્ફળ સાબિત થયા. જાણવા મળી રહ્યું છે કે, અધિકારીની પત્નીનું એક મહિના પહેલા કેન્સરના કારણે મોત થયું હતું અને ત્યારથી તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. વધુ પ્રમાણમાં દારૂનું સેવન કરવા લાગ્યો હતો. તેની તમામ બચત તેની પત્નીની સારવાર પાછળ ખર્ચ થઈ ગઈ હતી અને તેની વધુ સારવાર કરવા માટે તેણે પૈસા પણ ઉધાર લીધા હતા. અધિકારી પોતે એપિલેપ્ટિકના દર્દી હતો. તે ૨૩ જૂને એપિલેપ્ટિક હુમલા બાદ શૌચાલયમાં પડી ગયા હતા. જે બાદ તેને ન્યુરોસાયન્સની સંસ્થામાં દાખલ કરવામાં આવ્યો હતો. શનિવારે તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ચોક્કસ તે સમયને લઇને મૂંઝવણની સ્થિતિ છે જ્યારે અધિકારી બારીમાં થઈ કોર્નિસ પર બેસી ગયો હતો. હોસ્પિટલના અધિકારીઓએ જ્યારે સમય સવારે ૧૦ વાગે જણાવ્યા, ત્યારે કેટલાક પ્રત્યક્ષદર્શિઓએ જણાવ્યું કે તેને પહેલીવાર સવારે ૮ વાગે કોર્નિસ પર જાેવામાં આવ્યો હતો. પ્રત્યક્ષદર્શી જાે સાચા છે તો સવાલ ઉભા થઈ રહ્યા છે કે ફાયર વિભાગના કર્મચારીઓને સ્થળ પર પહોંચવામાં બે કલાક કેમ લાગ્યા. પશ્ચિમ બંગાળના ફાયર મિનિસ્ટર સુજીત બસુએ કહ્યું કે આ મામલે વિસ્તૃત તપાસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *