Kerala

જે મહિલા પુરુષ પરિણીત છે તે જાણવા છતાં શારીરિક સંબંધો ચાલુ રાખે એને દુષ્કર્મ ન કહેવાયઃ હાઇકોર્ટ

કેરળ
હાઈકોર્ટે એક ચુકાદામાં દુષ્કર્મના આક્ષેપો મામલે એક મોટું નિવેદન આપ્યું હતું જેણે ખાસ્સી ચર્ચા જગાવી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે લગ્નનો ખોટો વાયદો આપી દુષ્કર્મનાં કિસ્સામાં જાે મહિલા અગાઉથી જાણતી હોય કે પુરુષ પરિણીત છે અને તો પણ શારીરિક બાંધવાનું ચાલુ રાખે તો તેવા કિસ્સામાં દુષ્કર્મનો કેસ નથી બનતો. જસ્ટિસ કૌસરની બેન્ચે આ મામલે ચુકાદો આપ્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે આ કિસ્સામાં શારીરિક સંબંધ પ્રેમનું પરિણામ હતો નહીં કે લગ્નનાં ખોટા વાયદાનું. આ કેસના ચુકાદામાં જણાવાયું હતું કે, ”સ્વીકૃત હકીકત અનુસાર આ કેસમાં મહિલાએ પિટિશનર સાથે ૨૦૧૦થી સંબંધ બાંધ્યા હતા અને ૨૦૧૩ પછી એ જાણ્યા પછી પણ ચાલુ રાખ્યા હતા કે વ્યક્તિ પરિણીત છે. તેથી લગ્નનો ખોટો વાયદો કરીને શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ સાચી નથી સાબિત થતી. આ પ્રકારનો શારીરિક સંબંધ તેઓનાં પ્રેમનું પરિણામ છે અને તેને દુષ્કર્મ ગણી શકાય નહીં. જાે પુરુષ મહિલાને લગ્નનો ખોટો વાયદો કરીને મરજી મુજબ શારીરિક સંબંધ બાંધે અને પછી લગ્ન ન કરે તો કાયદાકીય રીતે ૈંઁઝ્ર સેક્શન ૩૭૬ અનુસાર તે ગુનો બને છે. કારણ કે અહીં કન્સેન્ટ એટલે કે મરજી ખોટા વાયદા કરીને લેવામાં આવી હતી. પરંતુ આ કિસ્સામાં તો પુરુષના લગ્નની માહિતી મહિલા જાણતી હોવા છતા તેણે સંબંધો ચાલુ રાખ્યા હતા જેથી તેને બંનેને એક સરખી રીતે લઈ શકાય નહીં.

Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *