Madhya Pradesh

ભાજપના લોકો જય શ્રી રામ બોલે છે, જય સિયારામ કેમ નહીં? ઃ રાહુલ ગાંધી

ભોપાલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને આરએસએસ ના લોકો ભગવાન રામ જેવું જીવન જીવતા નથી. ભારત જાેડો યાત્રા દરમિયાન અહીં એક રેલીમાં એક પૂજારી સાથેની વાતચીતને ટાંકીને, તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી દ્વારા ઉપયોગમાં લેવાયેલ હે રામ, વાક્ય જીવનનો એક માર્ગ છે. ભારત જાેડો યાત્રા હાલમાં મધ્યપ્રદેશમાંથી પસાર થઈ રહી છે અને શુક્રવારે સાંજે અગર માલવા જિલ્લામાં રોકાઈ હતી. તેમણે કહ્યું, હે રામ, એ જીવનનો માર્ગ છે. તેમણે સમગ્ર વિશ્વને પ્રેમ, ભાઈચારો, આદર અને તપનો અર્થ શીખવ્યો છે. એ જ રીતે જય સિયા રામ એટલે સીતા અને રામ એક છે અને ભગવાન રામ સીતાના સન્માન માટે લડ્યા હતા. જય શ્રી રામ એટલે ભગવાન રામની જય, પરંતુ ભાજપ અને આરએસએસના લોકો ભગવાન રામ જેવું જીવન જીવી રહ્યા નથી અને મહિલાઓના સન્માન માટે લડી રહ્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે જેઓ ક્યારેય ભગવાન રામના અસ્તિત્વમાં માનતા ન હતા તેઓ હવે રાવણને ગાળો આપવા માટે લાવ્યા છે. મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો હતો કે વડા પ્રધાન લોકોને તમામ ચૂંટણીમાં તેમનો ચહેરો બતાવીને મત આપવા કહે છે. ખડગેએ પૂછ્યું, શું તમે ૧૦૦ માથાવાળા રાવણ જેવા છો? દરમિયાન, કેન્દ્ર અને મધ્યપ્રદેશની ભાજપ સરકારો પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ખેડૂતોને ખાતર નથી મળતું અને રૂ. ૫૦,૦૦૦ થી રૂ. ૧ લાખ સુધીની લોન ન ચૂકવવા બદલ તેઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. બેન્કો દ્વારા ઉદ્યોગપતિઓની મોટી લોન માફ કરવામાં આવે છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે માતા-પિતા તેમના પુત્રને એન્જિનિયર બનાવવા માટે શિક્ષણ લોન લે છે, પરંતુ સ્નાતક થયા પછી, યુવાન એન્જિનિયરોને નોકરીના અભાવે મજૂર તરીકે કામ કરવાની ફરજ પડે છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *