Maharashtra

આયુષ્માન ખુરાનાએ પત્નીના જન્મદિન પર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી

મુંબઈ
આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. જ્યારે બંને ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી રહ્યા હતા ત્યારે બંનેએ એકબીજાને સપોર્ટ કર્યો હતો. આયુષ્માને ૨૦૧૨માં ફિલ્મ ‘વિકી ડોનર’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ તે પહેલા ૨૦૦૮માં આયુષ્માને તાહિરા કશ્યપ સાથે લગ્ન કર્યા હતા. આયુષ્માનને ૨ નાના બાળકો પણ છે. અભિનેતાના શરૂઆતના દિવસોમાં તાહિરા સાથે મજબૂત સંબંધ હતો, જે તેની સફળતા પછી પણ ટકી રહ્યો હતો. આયુષ્માનનું લગ્ન જીવન સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ઉદાહરણ જેવું છે.આયુષ્માન ખુરાનાએ બોલીવુડ અભિનેતાઓમાંથી એક છે જેઓ તેમના ગંભીર અને અલગ પાત્રો માટે જાણીતા છે. તેનો કરિયર ગ્રાફ દર્શાવે છે કે, તે તેના કામ પ્રત્યે કેટલો સમર્પિત છે. આ સાથે આયુષ્માન પોતાના પરિવાર પ્રત્યે પણ ખૂબ જ સમર્પિત છે. આયુષ્માને ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકતા પહેલા જ તાહિરા સાથે લગ્ન કરી લીધા હતા. બંનેની લવ સ્ટોરી ખૂબ જ ખાસ છે. આયુષ્માને તેની પત્નીના જન્મદિવસ પર એક સુંદર બર્થડે નોટ લખી છે. તે જન્મદિવસની નોટમાં, અભિનેતાએ તેની લવ સ્ટોરી વિશે ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેણે ૨૦૦૧માં પહેલીવાર તાહિરા માટે ગીત ગાયું હતું. તેણે તે ગીત ઈન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કર્યું છે. પત્નીના જન્મદિવસ પર પત્ની માટે લખેલી આ બર્થડે નોટ તેના ફેન્સને પસંદ આવી રહી છે. આયુષ્માન ખુરાનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પત્ની તાહિરા કશ્યપ ખુરાના માટે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ લખી છે. જેમાં તેણે પોતાના પ્રેમના દિવસોનો ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું કે, તાહિરાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! કે એ પહેલું ગીત છે જે મેં તમારા માટે ૨૦૦૧ના શિયાળામાં સુખના લેકના પગથિયાં પર બેસીને ગાયું હતું. ઘણા સમયથી તમારા માટે ગીત ગાયું નથી. હું બહુ જલ્દી આ ફરી કરવા માંગુ છું. હવે મને વધુ મિસ ન કરશો.બરાબર! આયુષ્માનની પોસ્ટ તેના ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

Ayushyman-Tahira.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *