Maharashtra

ઉદ્ધવ ઠાકરેના ૨ પદાધિકારીઓ વચ્ચે વિખવાદ,પોલીસ ઘટનાસ્થળે પહોંચી

મુંબઈ
મુંબઈના ચેમ્બુર કેમ્પ વિસ્તારમાં ગઈકાલે રાત્રે શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે જૂથના બે પદાધિકારીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઘટના ચેમ્બુર કેમ્પ વિસ્તારમાં શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથની શાખા ૧૫૪માં બની હતી. ચેમ્બુર શિવસેના શાખાના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે મધ્યરાત્રિએ ચર્ચા થઈ હતી. દરમિયાન, ઘટનાની જાણ થતાં જ ચેમ્બુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઉદ્ધવ ઠાકરે જૂથની મહિલા શાખા પ્રમુખ સહિત તમામ કાર્યકરોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ પછી બંનેએ એકબીજા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, બંને પદાધિકારીઓ વચ્ચે પરસ્પર વિવાદના કારણે બોલાચાલી થઈ હતી. દરમિયાન, ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં કેટલાક પુરુષ શિવસૈનિકો વિરુદ્ધ છેડતીનો કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં, ચેમ્બુર પોલીસ કેસ નોંધીને વધુ તપાસ કરી રહી છે. ગયા મહિને, ૧૨ ઓક્ટોબરે, સિંચર, પુણેમાં નવા ચૂંટણી ચિન્હની મશાલ લઈને એક શોભા યાત્રા કાઢવામાં આવી હતી. પરંતુ આ શોભા યાત્રામાં પાર્ટીના કાર્યકરો વચ્ચે વિવાદ શરૂ થયો અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. તાજેતરમાં, છઠ દરમિયાન, એકનાથ શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ મામલામાં બંને જૂથો તરફથી એકબીજા વિરુદ્ધ હ્લૈંઇ નોંધવામાં આવી હતી. છઠ પૂજાને લઈને વિવાદ શરૂ થયો હતો. તાજેતરમાં, ‘બાલાસાહેબ કી શિવસેના’ના ઉપ-વિભાગના વડા રામ યાદવે, જેઓ ભાજપ છોડીને શિંદે જૂથમાં જાેડાયા હતા, તેમણે છઠ પૂજાનું આયોજન કર્યું હતું. આ વિભાગના ઠાકરે જૂથના ભૂતપૂર્વ ધારાસભ્ય વિનોદ ઘોસાલકરે પણ છઠ પૂજાનું આયોજન કર્યું હતું. ઘોસાલકરે બનાવેલા કૃત્રિમ તળાવનું પ્લાસ્ટિક કોઈએ તોડી નાખ્યું હતું. આ પછી વિવાદ શરૂ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *